GUJJU STAR

GUJJU STAR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GUJJU STAR, Ahmedabad.

60 રૂપિયાનું દોરડું, લાખોની કાર...સુરતીઓનો નવો દેશી જુગાડસુરતમાં જ્યારે પણ ખાડીપૂરની સમસ્યા સર્જાય છે, ત્યારે રસ્તાઓ જળમ...
27/07/2026

60 રૂપિયાનું દોરડું, લાખોની કાર...સુરતીઓનો નવો દેશી જુગાડ

સુરતમાં જ્યારે પણ ખાડીપૂરની સમસ્યા સર્જાય છે, ત્યારે રસ્તાઓ જળમગ્ન બની જાય છે અને કાંઠાના વિસ્તારોમાં પાર્ક કરેલાં વાહનો તણાવાનો કે ભારે નુકસાન થવાનો ડર સતત રહે છે. સુરત મનપાનાં પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે હવે સુરતીઓએ પોતાનો જીવ અને સંપત્તિ બચાવવા માટે તંત્ર પરનો ભરોસો છોડી દીધો છે. ‘ભગવાન ભરોસે...ના ના, હવે તો દોરડા ભરોસે!’ આ જ સ્થિતિ અત્યારે સુરતના ડુંભાલ વિસ્તારમાં જોવા મળી રહી છે.

તેજ વહણમાં કાર તણાતી અટકાવવા અનોખી તરકીબ
સુરતીઓ પોતાની અનોખી સૂઝબૂઝ અને ‘જુગાડ’ માટે આખા વિશ્વમાં જાણીતા છે. ખાડીપૂરમાં લાખો રૂપિયાની મોંઘીદાટ કાર પાણીના તેજ વહેણમાં તણાઈ ન જાય તે માટે ડુંભાલના સ્થાનિકોએ એક અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. માત્ર 60 રૂપિયાનું મજબૂત દોરડું ખરીદીને લોકો પોતાની લાખોની કિંમતની કારને નજીકના વીજળીના થાંભલા, ગ્રીલ કે મકાનના મજબૂત પિલર સાથે બાંધી રહ્યા છે. સુરતી લોચો અને ઘારી પછી સુરતીઓનો આ નવો ‘દોરડા જુગાડ’ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.

મનપા તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, મનપાના તંત્ર પર હવે કોઈ ભરોસો રહ્યો નથી. દર વર્ષે ખાડીના પાણી ઘરોમાં અને રસ્તાઓ પર ફરી વળે છે. પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ જાય તો લાખો રૂપિયાનું પાનીચું થઈ જાય. એના કરતાં માત્ર 60 રૂપિયાનું દોરડું લાવીને કારને થાંભલા સાથે બાંધી દેવી વધારે સુરક્ષિત છે. મનપા કરતાં તો અમને અમારા આ દેશી જુગાડ પર વધારે ભરોસો છે!

દરેક મુશ્કેલીમાં રસ્તો શોધી લેવાની સુરતીઓની આ અનોખી અદા ભલે લોકોને હસાવતી હોય કે વાઇરલ થતી હોય, પણ એની પાછળ મનપા તંત્રની નિષ્ફળતા અને સ્થાનિકોનો છુપો આક્રોશ સ્પષ્ટપણે છતો થાય છે. પાણી ઓસરશે ત્યારે ઓસરશે, પણ હાલ તો 60 રૂપિયાનું દોરડું સુરતીઓની લાખોની કારનું રોકડાનું રક્ષણ કરી રહ્યું છે.

જાણીતા ડોક્ટર પરબત કંડોરીયાનું નિધન...ઉત્તરાખંડ યાત્રા દરમિયાન હાર્ટ અટેક આવ્યોદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જાણીત...
27/07/2026

જાણીતા ડોક્ટર પરબત કંડોરીયાનું નિધન...ઉત્તરાખંડ યાત્રા દરમિયાન હાર્ટ અટેક આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જાણીતા તબીબ, દેવભૂમિ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજના સંચાલક તેમજ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન ડોક્ટર પરબત વી. કંડોરીયાનું ઉત્તરાખંડમાં નિધન થયું છે. તેઓ પરિવાર સાથે કેદારનાથ-હરદ્વાર યાત્રાએ ગયા હતા. તેમના અવસાનથી ખંભાળિયા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

ડોક્ટર કંડોરીયા તેમના પત્ની, માતા અને મિત્રો સાથે ખંભાળિયાથી કેદારનાથ, બદ્રીનાથ, હરદ્વાર સહિતના સ્થળોની યાત્રાએ ગયા હતા. કેદારનાથની યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ ગઈકાલે દેહરાદૂન નજીક કાલી સેલા પહાડીઓ પર આવેલા માતાજીના દર્શને જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું. તેમના મૃતદેહને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી.

ડોક્ટર કંડોરીયાએ તાજેતરમાં ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હતી અને સિંચાઈ વિભાગના ચેરમેન બન્યા હતા. તેઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આગળ વધીને ડોક્ટર બન્યા હતા અને સેવાભાવી પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા. તેમના ધર્મપત્ની માલતીબેન પણ ભાજપના જિલ્લા મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમનો એકમાત્ર પુત્ર ક્રિષીવ તાજેતરમાં જ પિતાના પગલે એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો છે.

ડોક્ટર પરબત કંડોરીયાના નિધનથી ખંભાળિયા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, પરબતભાઈ ભાદરકા, કશ્યપભાઈ ડેર, સંજયભાઈ નકુમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથીયા, ઉપપ્રમુખ ચીમનભાઈ નકુમ, કારોબારી ચેરમેન રંજનબેન ડેર તથા રસિકભાઈ નકુમ, લાલજીભાઈ ભુવા સહિતના અનેક મહાનુભાવોએ શોકાંજલિ અર્પણ કરી હતી. આજે તેમના મૃતદેહને એરલિફ્ટ દ્વારા ખંભાળિયા લાવવામાં આવશે અને આગળની અંતિમવિધિ કરવામાં આવશે.

મૈથિલી ઠાકુરે જૂનાગઢ શિવરાત્રિના મેળામાં 2 કલાક ભજન ગાવાના રૂ. 24 લાખ લીધા, ગીતા રબારીને રૂ.12.50 લાખ મળ્યાજૂનાગઢના મિની...
24/07/2026

મૈથિલી ઠાકુરે જૂનાગઢ શિવરાત્રિના મેળામાં 2 કલાક ભજન ગાવાના રૂ. 24 લાખ લીધા, ગીતા રબારીને રૂ.12.50 લાખ મળ્યા

જૂનાગઢના મિની કુંભ શિવરાત્રિ મેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કલાકારોને 1.4 કરોડ રૂપિયા ચુકવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં બિહારના ભાજપનાં ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરે ભજન ગાવાના 24 લાખ રૂપિયા લીધા હતા, આ ઉપરાંત પટણાથી અમદાવાદ સુધી પ્લેન ટિકિટ અને અમદાવાદથી જૂનાગઢ ગાડી ભાડાં પેટે 2.33 લાખ રૂપિયા લીધા હતા. હોટલમાં રોકાયા હતા તેનું ભાડું 19,404 લેખે ચુકવાયુ હતુ. તે હોટલ પણ ભાજપના ધારાસભ્યની જ હતી.

આ ઉપરાંત ગીતા રબારીને રૂપિયા 12.50 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ તેમજ સ્થાનિક રાજભા ગઢવીને પણ 4 લાખ અપાયા હતા. પાર્થ ઓઝા, ગીતા રબારી સહિતના લોકોને રહેવા માટે એક દિવસના 45 હજાર જેવુ એમએલએની હોટલને ભાડું ચુકવાયું હતું. આ સિવાય અઘોરી મ્યુઝિકને 10 લાખ ચુકવાયા હતા. આમાં મહત્વની વાત એ છે કે, સ્થાનિક 19 કલાકારોને 5થી લઇ 11 હજાર સુધી ચુકવાયા હતા, જેમાં એક રાજદાન ગઢવીને સૌથી વધુ 35 હજાર મળ્યા હતા.

જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલીત પરસાણાએ કરેલી આરટીઆઇમાં આ ઘટસ્ફોટ થયો છે. એમની આરટીઆઇમાં જૂનાગઢ કલેકટર કચેરીમાંથી વિગતો ન મળતા ગાંધીનગર સાંસ્કૃતિક વિભાગમાં જઇને આ માહિતી મેળવી હતી. આ વિગતમાં લાઇવ ઇન કોન્સ્ટન્ટ મૈથિલી ઠાકુરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બિહારથી ભાજપના ધારાસભ્ય મૈથિલીને રાત્રિના 4 કલાક ભજન, લોકગીત સહિતના ગીતો ગાવાના ફી પેટે અધધ 24 લાખ રૂપિયા લીધા હોવાની ચોંકાવનારી હકીકત ખુલી હતી.

રાજ્ય સરકારની યુવા સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની દિવા ઇવેન્ટને આ તમામ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય કલાકારોના 89 લાખ રૂપિયા ચુકવાયા હતા. આ કંપનીને શિવરાત્રિના મેળામાં આવેલા તમામ કલાકારોની વ્યવસ્થા કરવાની જવાબદારી કરોડો રૂપિયા આપીને સોપવામાં આવી હતી. આ મામલો પણ હાલ ચર્ચામાં છે.

કોણે કેટલા પૈસા લીધા ?
મૈથીલી ઠાકુર- 24 લાખ, પ્લેનની ટિકિટ 2.33 લાખ
અઘોરી મ્યુઝિક- 10 લાખ
પાર્થ ઓઝા- 12 લાખ
ગીતા રબારી- 12.50 લાખ
રાજભા ગઢવી- 4 લાખ

(સોર્સ અને આર્ટીકલ- દિવ્ય ભાસ્કર)

પિતાએ જમીન વેચીને દીકરીને કેનેડા મોકલી...હવે લાડકવાઈ દીકરીની લાશ પાછી આવી...કેનેડાના એડમિન્ટન શહેરમાં એક યુવતીની તેના લિ...
24/07/2026

પિતાએ જમીન વેચીને દીકરીને કેનેડા મોકલી...હવે લાડકવાઈ દીકરીની લાશ પાછી આવી...

કેનેડાના એડમિન્ટન શહેરમાં એક યુવતીની તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી. ઝઘડા દરમિયાન લિવ-ઇન પાર્ટનરે તેનું ગળું દબાવી દીધું. કોલ મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને હોસ્પિટલ પહોંચાડી. ત્યાં તેનું મૃત્યુ થયું. પોલીસે આરોપી લિવ-ઇન પાર્ટનરની ધરપકડ કરી છે.

મૃતકની ઓળખ દમનપ્રીત કૌર (23) તરીકે થઈ છે. તે પંજાબના લુધિયાણાના સમરાલાના લાલ કલાં ગામની રહેવાસી હતી. જ્યારે આરોપી રિતેશ (22) દિલ્હીનો રહેવાસી છે. તેના પર સેકન્ડ ડિગ્રી મર્ડરના આરોપો લગાવવામાં આવ્યા છે. પિતાએ 5 વર્ષ પહેલા જમીન વેચીને દમનપ્રીતને કેનેડા મોકલી હતી.

અભ્યાસ દરમિયાન યુવક સાથે મુલાકાત થઈ
દમનપ્રીત કૌર લગભગ 5 વર્ષ પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. ત્યાં 2021માં અભ્યાસ દરમિયાન તેની મુલાકાત રિતેશ સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. જોકે, બંને ક્યારથી સાથે રહી રહ્યા હતા, તેની માહિતી હાલ સામે આવી નથી.

3 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોતને ભેટી
9 જુલાઈની સાંજે 6 વાગ્યેને 44 મિનિટે એડમિન્ટન પોલીસને દક્ષિણ-પૂર્વીય શહેરના સિલ્વરબેરી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ઇમરજન્સી ફોન આવ્યો. જ્યારે પોલીસ અને પેરામેડિકલ ટીમ ત્યાં પહોંચી ત્યારે તેમને દમનપ્રીત બેભાન હાલતમાં મળી.

પોલીસે દમનપ્રીતને તરત જ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં 12 જુલાઈએ તેણે અંતિમ શ્વાસ લીધા. 14 જુલાઈએ મેડિકલ એક્ઝામિનર દ્વારા કરવામાં આવેલી પોસ્ટમોર્ટમ તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે દમનપ્રીતનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ ગળું દબાવવાને કારણે થયું હતું.

22 જુલાઈના રોજ આરોપીની ધરપકડ કરીને આરોપો લગાવવામાં આવ્યા
એડમિન્ટર પોલીસ સર્વિસના હોમિસાઇડ યુનિટ દ્વારા 22 જુલાઈના રોજ આરોપી રિતેશ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલો ઘરેલું હિંસા અથવા પાર્ટનર હિંસા (ઇન્ટિમેટ પાર્ટનર હોમિસાઇડ)નો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલામાં અન્ય કોઈ શંકાસ્પદની શોધ કરી રહ્યા નથી.

કોર્ટની આગામી સુનાવણીમાં આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આરોપીની ધરપકડની માહિતી 23 જુલાઈના રોજ શેર કરી હતી. બંને વચ્ચે કયા મુદ્દે વિવાદ થયો હતો, તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી.

મૃતદેહ પંજાબ લાવવામાં આવશે
દમનપ્રીત કૌર એડમિન્ટનમાં રહેતી હતી. તે અભ્યાસ પછી હવે નોકરી કરી રહી હતી. કેનેડિયન મીડિયા અનુસાર, દમનપ્રીતના મૃતદેહને ભારતમાં તેના પરિવાર પાસે મોકલવા અને અંતિમ સંસ્કારના કાગળના કામનો ખર્ચ ઉઠાવવા માટે એક ગો-ફંડ-મી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. મૃતદેહ ક્યારે ભારત પહોંચશે, તેની કોઈ તારીખ હજુ નક્કી નથી. એવું કહેવાય છે કે રિતેશ પણ અભ્યાસ પછી અહીં નોકરી કરતો હતો. જોકે, અત્યાર સુધી ભારત સરકાર કે ભારતીય દૂતાવાસ તરફથી પરિવારને કોઈ મદદ મળી નથી.

પત્નીના ડરથી શિક્ષક છેલ્લા 8 દિવસથી રૂમમાં કેદ, પોલીસને હાથ જોડી બચાવવા આજીજી કરીએક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમ...
21/07/2026

પત્નીના ડરથી શિક્ષક છેલ્લા 8 દિવસથી રૂમમાં કેદ, પોલીસને હાથ જોડી બચાવવા આજીજી કરી

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અશોક કુમાર નામના નિવૃત્ત શિક્ષક છેલ્લા 8 દિવસથી પોતાના જ ઘરમાં એક રૂમમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. અશોક કુમારનો આરોપ છે કે તેમની પત્ની તેમને સતત શારીરિક રીતે પ્રતાડિત કરે છે અને લાંબા સમયથી ઘરેલુ હિંસાનો ભોગ બની રહ્યા છે.

આ શોકિંગ બનાવ ઉત્તર પ્રદેશના હાથરસના બાલાપટ્ટી વિસ્તારનો છે. આ ઘટનાની જાણ પડોશીઓએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ અશોક કુમારે પત્નીના ડરથી દરવાજો ખોલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પોલીસ પાસે આજીજી કરી છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

ગોવિંદકાકાનો બાટલો ફાટ્યો... કહ્યું- સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતુંબિસ્માર રસ્તાઓથી ભાજપ MP ધોળકિયા ર...
21/07/2026

ગોવિંદકાકાનો બાટલો ફાટ્યો... કહ્યું- સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતું

બિસ્માર રસ્તાઓથી ભાજપ MP ધોળકિયા રોષમાં, વીડિયો બનાવી મેયર-કમિશનર સહિતને મોકલ્યો

સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી, ખખડધજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ત્રસ્ત થયા છે.

રવિવારે (19 જુલાઈ) ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવી "સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું" અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત(PA) ભાવેશભાઈએ સમગ્ર મામલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારના દિવસનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને જ અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની અમને કોઈ જાણકારી નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો કે, તુરંત જ વિરોધપક્ષ અને નેટીઝન્સે મનપા તંત્ર સાથે ભાજપ સરકાર સામે પણ પ્રહારો શરૂ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ગોવિંદ ધોળકિયાના વીડિયોના કારણે ભારે ફજીતી થઈ રહી છે, કારણ કે તેઓ પોતે સાંસદ છે અને તેમણે જ પોતાની સરકારની પોલ ખોલવી પડી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જો એક અબજોપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ સુરતના રસ્તાના કારણે આ રીતે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો પછી સામાન્ય પ્રજાની રજૂઆત કોણ સાંભળશે?

હીરા બુર્સ નજીકના રોડની ગંભીર હાલતથી ઉદ્યોગકારોમાં રોષ
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટ્સ અને હીરા બુર્સ સુરતની વૈશ્વિક ઓળખ છે. ધોળકિયા પરિવારનું પણ આ વિસ્તારમાં વિશાળ ડાયમંડ યુનિટ આવેલું છે. આટલા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં અને એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા, કાદવ અને બિસ્માર રોડ હોવાથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા વેપારીઓ સામે પણ સુરતની છબી ખરડાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.

તંત્રના વાંકે શાસક પક્ષના નેતાઓ બેકફૂટ પર
સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભૂકંપ આવ્યો છે. એક તરફ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવો કરે છે અને બીજી તરફ સાંસદ કક્ષાના નેતાઓને પણ રોડ-રસ્તાના કારણે વીડિયો બનાવી વિરોધ દર્શાવવો પડે છે. હાલ આ મુદ્દો આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે આ ચાર જવાબદાર અને ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓમાંથી આ વીડિયો મીડિયા કે સોશિયલ મીડિયા સુધી કોણે પહોંચાડ્યો અને વાયરલ કર્યો?

NHAI અને GWSSB પત્રવ્યવહારમા વ્યસ્ત!
રોડ વિભાગના અધિકારી મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ રસ્તાનો ભાગ NHAI હેઠળ આવે છે. આ રસ્તાના સમારકામ માટે NHAI અને GWSSB વચ્ચે પત્રવ્યવહાર થયો છે. પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી અમે ગઈકાલે(20 જુલાઈ) સરફેસ પ્રિપેરેશન કરી દીધું છે. મેં GWSSBના કાર્યપાલક ઈજનેર સાથે વાત કરી લીધી છે અને તમામ બાબતોની ખાતરી કરી લીધી છે.

માતા સાથે મળી દીકરીએ પિતાને મોત આપ્યું...પાટીદાર યુવકની હત્યા, સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દેતો કિસ્સોપત્નીએ બહેનના દીકરાન...
20/07/2026

માતા સાથે મળી દીકરીએ પિતાને મોત આપ્યું...પાટીદાર યુવકની હત્યા, સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દેતો કિસ્સો

પત્નીએ બહેનના દીકરાને સોપારી આપી, પુત્રીએ પૈસા ટ્રાન્સફર કર્યા, વિજાપુરના પાટીદારની હત્યાનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?

તારીખ: 8 જુલાઈ, 2026
સમય: રાતના 8.25 આસપાસ
લોકેશન: આનંદપુરા ચાર રસ્તા, વિજાપુર

મહેસાણાના વિજાપુરના રામ મંદિર પાસે મેડીકલ સ્ટોર ચલાવતા આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) એક્ટિવા (GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે આવતી બ્રેઝાના કારચાલકે ટક્કર મારી. રોડ પર પટકાવાને કારણે વિનોદકુમાર પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

જો કે આ કોઈ સામાન્ય અકસ્માત નહીં પણ ઘરમાં જ આકાર લઈ રહેલા એક ષડ્યંત્રનો ભાગ હતો. મહિના પહેલાં આ કાવતરું ઘડાઈ ચૂક્યું હતું અને તેને અંજામ સુધી પહોંચાડવાનું બાકી હતું. વિનોદભાઈના મોતને કારણે ઘરમાં માતમ છવાયું હતું. પત્ની અને દીકરી મોકાણે આવનારની વચ્ચે બેસીને રડી રહી હતી. હકીકતમાં તો અંદરથી ખુશ હતી કારણ કે પતિ અને પિતાને મોતને ઘાટ ઉતારવા માટે બન્નેએ સાથે મળીને એક ખૌફનાક ખેલ ખેલ્યો હતો. આ સમયે તો કોઈને પણ ખબર નહોતી કે વિનોદભાઈની હત્યા કરનારી તેના ઘરની બે મહિલા સૌની વચ્ચે મગરના આંસુઓ સારી રહી છે.

આ ઘટનાથી ભલભલાને પિતા-પુત્રીના લાગણી ભર્યા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે એ વાત ચોક્કસ છે. જો કે પતિ-પત્નીના સંબંધો પરથી તો સોનમ રઘુવંશી કેસ સામે આવ્યો ત્યારથી જ ઉઠી ગયો છે. આ મર્ડર પ્લાન કરવામાં પત્ની રીટા પટેલ, પુત્રી શ્રદ્ધા પટેલની સાથે રીટા પટેલની બહેનનો દીકરો વિમલ પટેલ પણ સામેલ હતો.

મૃતક વિનોદભાઈના પરિવારમાં પત્ની રીટા, પુત્ર દિવ્ય અને પુત્રી શ્રદ્ધા છે. પુત્ર દિવ્ય પરણિત છે અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. જ્યારે હત્યામાં સંડોવાયેલી દીકરી શ્રધ્ધાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ મહેશ્વરપુરામાં કરવામાં આવ્યા હતા. વિનોદભાઈનું ઘર સુખી સંપન્ન હતું. તેમની પાસે 6 વિઘા જેટલી જમીન અને પોતાનો મેડીકલ સ્ટોર હતો.

આ અંગે ફરિયાદી સ્નેહલ પટેલે દિવ્ય ભાસ્કરને રજેરજની વિગત આપતા જણાવ્યું કે, રીટા બહેન 8 માસથી વાડીલાલ કંપનીમાં જોબ કરતા હતા. આ વાત વિનોદ ભાઈને બિલકુલ પસંદ નહોતી. વિનોદ ભાઈએ પત્ની રીટાને જોબ કરવાની અવારનવાર ના પણ પાડી હતી. તેમ છતાં રીટા બહેન પતિ વિનોદભાઈનું માનતા નહોતા અને જોબ ચાલુ રાખી હતી.

પત્નીનું અફેર હોવાની શંકા અને ઝઘડાઓ મોત સુધી લઈ ગયા
રીટા બહેન બે દિવસ જોબ પર જાય બાકીના દિવસ ના જાય ગમે ત્યારે જોબ પર જતાં અને ગમે ત્યારે ઘરે આવતા હતા. વિનોદભાઈને શંકા હતી કે જ્યાં રીટા બહેન જોબ કરે છે ત્યાં તેનું કોઈ સાથે અફેર છે. આ અફેરની શંકાના બીજ રોપાતા જ બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થવા લાગ્યા. પરંતુ આ ઝઘડાઓ વિનોદભાઈને મોત સુધી લઈ જશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.

જ્યારથી રીટા બહેને નોકરી ચાલુ કરી ત્યારથી તેઓ ઘરને લોક મારી ને જતા રહેતા હતા. વિનોદભાઈ રાત્રે ઘરે આવે ત્યારે લોક જોઈ તેઓ ગામમાં આવેલા બીજા મકાને સુવા માટે જતા રહેતા હતા. ઘણીવાર તો વિનોદભાઈ રાત્રે પોતાના મેડિકલ સ્ટોરમાં જ સુઈ જતા હતા.

જ્યારે ગાંધીનગરમાં પતિ સાથે રહેતી વિનોદભાઈની દીકરી શ્રધ્ધા પટેલની ડિલિવરીનો સમય નજીક હતો ત્યારે માતા રીટા બહેન ગાંધીનગર ત્રણ મહિના માટે રહેવા ગયા હતા. એ દરમિયાન રીટા બહેન ઘરને લોક મારીને ગયા હતા. છેલ્લા ત્રણ મહિના વિનોદભાઈએ માંડ માંડ કાઢ્યા, કારણ કે ઘર લોક હતું અને જમવાના કે સુવાના કોઈ ઠેકાણા નહોતા.

વિનોદભાઈ મોતના આઠ દિવસ પહેલેથી ડરવા લાગ્યા હતા
આ પરિસ્થિતિ વચ્ચે વિનોદભાઈને 1 જુલાઈથી તો અચાનક જ ડર લાગવા લાગ્યો અને ડરી ડરીને રહેવા લાગ્યા. જો કે આ ડર અંગે તેમણે ઘરે તો કોઈને વાત કરી નહીં પણ ફ્રેન્ડ સર્કલમાં કહેતા કે મને બીક લાગી રહી છે. પરંતુ કોઈએ એમની વાતને ગંભીરતાથી લીધી નહીં. વિનોદભાઈનો સ્વભાવ એકદમ શાંત હતો અને પોલીસની ધમકીથી બહુ ડરતા પણ હતા. જ્યારે ઝઘડા થતા ત્યારે રીટા પટેલ વિનોદભાઈને પોલીસની ધમકી જ આપતા હતા એટલે વિનોદભાઈ પહેલાથી ડરી ડરી ને જ રહેતા હતા.

દીકરી સાથે ખૂબ સારું બોન્ડિગ, ઘરે વહેલા આવવા લાગ્યા
તો બીજી તરફ પુત્રી શ્રદ્ધા ડિલિવરી બાદ 15-20 દિવસ એની માસીના ઘરે રહી અને ત્યારબાદ આનંદપુરા માતાના ઘરે રહેવા આવી ગઈ. શ્રધ્ધા ઘટના બન્યાના 15 દિવસ પહેલા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. જ્યારથી ઘરમાં દીકરી શ્રધ્ધા રહેવા આવી એ દિવસોમાં વિનોદ ભાઈ રાત્રે ટાઈમે જમવા માટે ઘરે આવી જતા હતા. શ્રધ્ધા અને પિતા વિનોદભાઈ વચ્ચે ખૂબ સારું બોન્ડિગ હતું. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો ઝઘડો પણ નહોતો. જો કે આ સમયે માતા-પુત્રીના દિમાગમાં તેનો પ્લાન તો આગળ વધી જ રહ્યો હતો.

પત્નીએ બહેનના દીકરાને સોપારી આપી, પુત્રીએ પૈસા ટ્રાન્સફર કર્યા
હત્યાના એક અઠવાડિયા અગાઉ રીટા બહેન પતિ વિનોદભાઈને સારી રીતે રાખવા લાગ્યા હતા. રીટા બહેને પુત્રી સાથે મળીને પતિનો કાયમી કાંટો કાઢી નાંખવાના કામ માટે પૈસાની લાલચ આપી બહેનના દીકરા વિમલને તૈયાર કર્યો. આ હત્યા માટે રીટા અને શ્રદ્ધાએ વિમલને મે-જૂનમાં 50 હજાર રૂપિયા પણ આપી દીધા. આ રૂપિયા શ્રદ્ધાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ 50 હજારની રકમ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીટાના ભાઈની દીકરી દક્ષા એટલે કે ભત્રીજીના ખાતામાંથી શ્રદ્ધાના ખાતામાં આવ્યા હતા.

આરોપીઓએ 10 લાખનો વિમો પણ ઉતરાવ્યો
તેમજ તમામ જવાબદારી પોતાની માથે લેવાની ખાતરી આપી. વિનોદભાઈનું અકસ્માતમાં મોત થયું હોવાનું ખપાવીને તેમના મોત પાછળ અકસ્માત વીમાના રૂપિયા મળે તે માટે વિમલ પટેલ અને તેની માસી રીટા બહેને મૃતક વિનોદભાઈનો એક મહિના પૂર્વે 10 લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો. જોકે ઘટના બાદ પરિવારને આ વીમા અંગે જાણ થઈ હતી.

દીકરી પિતાને ફોન કરી હત્યારાને લોકેશન આપતી રહી
આ કામ માટે તૈયાર થયા બાદ વિમલે 23 જુલાઈ આસપાસ રાજસ્થાનથી પોતાના રૂપિયા ખર્ચી બ્રેઝા ગાડી ભાડા ઉપર લાવ્યો હતો અને પોતે પકડાઈ ન જાય તે માટે તેની નંબર પ્લેટ કાઢી નાંખી. ત્યાર બાદ વિનોદભાઈની એક એક પળની રેકી કરવાનો આરંભ થઈ ગયો. વિનોદભાઈ વિજાપુર રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા હોવાથી વિમલ ત્યાં રેકી કરતો હતો. જ્યારે પુત્રી શ્રદ્ધા પિતા વિનોદભાઈને ફોન કરીને તેનું લોકેશન જાણતી રહેતી હતી અને તે વિમલને સતત સ્થળ અંગેની આપતી હતી. હવે વિનોદભાઈની જિંદગીનો અંતિમ દિવસ નજીક આવી ગયો હતો.

મોત આપ્યા પહેલાં દીકરીએ કહ્યું ‘પપ્પા આજે વહેલા જમવા આવજો’
વિનોદભાઈના બહેન સૂર્યા બહેને ભાસ્કરને જણાવ્યું કે થોડા દિવસ અગાઉ પત્ની અને પુત્રીએ વિનોદભાઈ માટે મન્ચુરિયન અને પનીર પણ બનાવ્યું હતું. જે દિવસે અકસ્માત થયો એ દિવસે શ્રધ્ધા(પ્રિ-પ્લાન મુજબ)એ તેના પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે પપ્પા આજે વહેલા જમવા આવજો.

‘આજે મને બહુ બીક લાગે છે, ગુંડા મારો પીછો કરી રહ્યા છે’
8 જુલાઈની સાંજે સાંજે વિનોદભાઈએ પોતાના મિત્ર રાજુભાઇને જાણ કરી હતી કે આજે મને બહુ બીક લાગે છે. કોઈ ગુંડા મારો પીછો કરી રહ્યા છે. આમ કહેતા રાજુભાઇ વિનોદભાઈને મેડીકલ સુધી મૂકી પણ ગયા હતા. ત્યાર બાદ વિનોદભાઈ પોતાના મેડીકલ સ્ટોરનું કામ પતાવી વિજાપુરથી પોતાના ગામ આનંદપુરા જવાની તૈયારી કરવા લાગ્યા હતા. આ સમયે ઘડિયાળ રાતના 8 વાગ્યાનો સમય બતાવી રહી હતી. વિનોદભાઈના મનમાં તો પુત્રીએ વહેલા જમવા આવવાની વાત જ ચાલતી હતી એટલે તેઓ ઘરે જવા નીકળી પડ્યા પણ તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં તેના સાઢુભાઈનો પુત્ર તેને મોત આપવાની તૈયારીઓ સાથે રાહ જોઈને ઉભો હતો.

વિનોદભાઈ એક્ટિવા લઈને નીકળ્યા સાથે જ અગાઉથી રાહ જોઈને ઉભેલા વિમલે નંબર પ્લેટ વિનાની બ્રેઝાથી પીછો શરૂ કર્યો. વિજાપુરથી 1 કિમી દૂર અને આનંદપુરા નજીક એટલે કે આનંદપુરા સર્કલથી થોડે આગળ જ વિનોદભાઈ નીકળ્યા ને 8.14 વાગ્યે વિમલે બ્રેઝાની ટક્કર મારી દીધી. આ સાથે જ વિનોદભાઈ નીચે પટકાયા અને કારનું ટાયર માથા પર ફરી વળતા ગંભીર ઈજા થઈ. ત્યાર બાદ વિમલ બ્રેઝા લાઈને સીધો ગાંધીનગર જવા નીકળી ગયો અને કારને ગેરેજમાં પાર્ક કરી દીધી.

ફરિયાદીએ જણાવ્યા મુજબ, અકસ્માત થયો એ દરમિયાન રીટા બહેન અને શ્રદ્ધા બંને ઘરે હાજર હતા. હું ઘરે બેઠા હતો એ દરમિયાન મને ફોન આવ્યો કે વિનોદ ભાઈનો અકસ્માત થયો છે. હું ઘટના સ્થળે ગયો અને તેની સાથે સાથે મેં મારી પત્નીને પણ આ અંગે જાણ કરી કે રીટા કાકીને કહેજે કે કાકાનો અકસ્માત થયો છે અને હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યારે બાદમાં ઘરે મોતના સમાચાર આવ્યા ત્યારે રીટા બહેન અને શ્રદ્ધાએ રડવાનું પણ નાટક કર્યું હતું.

CCTVમાં નંબર વિનાની બ્રેઝ દેખાઈ ને ખેલ ખૂલ્યો
ત્યાર બાદ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે ગુનો નોંધાયો. આ તપાસ દરમિયાન વિજાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌહાણે તપાસનો દોર હાથમાં લીધો. તેમણે પોલીસની ટીમોને કામે લગાડી દીધી. આ ટીમોએ અલગ અલગ વિસ્તારના 15 થી 20 સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન સીસીટીવીમાં એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બ્રેઝા ગાડી વિશે માહિતી મળી, આ કારે જ અકસ્માત કર્યો હોવાની વાત કન્ફર્મ કરી લીધી.

આરોપી સાથે કારમાં ગયેલા મિત્રોએ ગેમ ઓવર કરી નાંખી
બીજી તરફ પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે એક સાક્ષી આવી ચઢ્યો. તેમણે PI આર.જે.ચૌહાણ સમક્ષ આખા કેસને પલટી નાંખે એવી વાત જણાવી. સાક્ષીએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, ગત તારીખ 8 જુલાઈ 2026ના રોજ આરોપી વિમલ પટેલ તેને અને તેના મિત્રને સીસીટીવી કેમેરા ફિટિંગ કરવાના બહાને પોતાની બ્રેઝા ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. સાઇટ પર જવાને બદલે તે ગાડી આનંદપુરા તરફ દોડાવી ગયો હતો. ત્યાં આનંદપુરા ચોકડીથી આગળ જતાં વિમલ પટેલે એક એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી અને વિરોધ કરવા છતાં ગાડી ઊભી રાખ્યા વિના ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ હકીકત સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અસ્નાપુરા ગામના 24 વર્ષીય વિમલકુમાર રોહિતભાઈ પટેલને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી. વિમલે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ અકસ્માત નહોતો પરંતુ પૂર્વયોજિત હત્યાનું કાવતરું હતું. ત્યાર બાદ 17 જુલાઈના રોજ પોલીસે આખો કેસ ઉકેલી લીધો અને આરોપીઓની ધરપકડ કરી લીધી.

સમગ્ર ઘટનામાં પોલીસે હાલ તો રીટા પટેલ, શ્રધ્ધા પટેલ અને વિમલ પટેલને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે. આ કેસમાં મહત્વની બાબત એ પણ છે કે શ્રધ્ધા પોતાના 3 માસના બાળકને પણ જેલમાં સાથે લઈ ગઈ છે. આમ બાળક પણ હવે શ્રદ્ધા સાથે જેલમાં રહેશે. (સોર્સ- દિવ્ય ભાસ્કર)

હૃદયકંપાવનારી અને ભેદભરમ ઘટના..પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર કપલ....સુરતમાં પહેલા પત્નીએ અને ત્યારબાદ...
20/07/2026

હૃદયકંપાવનારી અને ભેદભરમ ઘટના..પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર કપલ....

સુરતમાં પહેલા પત્નીએ અને ત્યારબાદ પતિએ ફાંસો ખાધો, બંને વચ્ચે ઝઘડો થયો'તો

સુરત શહેરમાં ફરી એકવાર હૃદયકંપાવનારી અને ભેદભરમી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે આવેલી કિસ્મત કોલોનીમાં રહેતા નવદંપતીના લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે (19 જુલાઈ) રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય પતિ ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની 19 વર્ષીય પત્ની નીચે જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

દંપતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અભય કાતરીયા અને તેની પત્ની દિશા કાતરીયાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે, પતિ અને પત્નીના ફાસો ખાવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. તેથી બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પહેલા પત્નીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારબાદ પતિએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ સિવાય બંનેના શરીર પર કોઈ પણ અન્ય ઈજાના નિશાનો પણ મળ્યા નથી.

ઝઘડા બાદ આપઘાત કર્યો હોવાની શક્યતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અને બંનેના મોતની એવી શક્યતા છે કે, ગત 18 જુલાઈના રોજ અભય અને દિશાની પ્રથમ લવમેરેજની એનિવર્સરી હતી. રાત્રે ફરીને આવ્યા બાદ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ અભય અને દિશા બંને અલગ અલગ રૂમમાં ગયા અને દિશાએ માઠું લગાવીને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. અંગેની જાણ થતા અભય રૂમમાં ગયો હતો અને દિશાને નીચે ઉતારી હતી જો કે તેનું મોત થઈ ગયું હોવાથી તેને પણ તે દુપટ્ટા છે ગળેફાંસો ખાઈ લીધું હોવાની શક્યતા છે.

માતા-પિતા કામ પર ગયા, કાકીએ દરવાજો ખોલતા જ સ્તબ્ધ થઈ ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખડસલીયા ગામના વતની અને હાલ ડભોલી કિસ્મત કોલોનીમાં રહેતો 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરીયા લિફ્ટ રીપેરિંગનું કામ કરતો હતો. અભયે એક વર્ષ પહેલાં ઝારખંડની વતની દિશા મનોજભાઈ આહોજા (ઉં.વ. 19) સાથે પ્રેમલગ્ન (કોર્ટ મેરેજ) કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવાર સાથે સંયુક્તમાં રહેતા હતા.

રવિવારે અભયના માતા-પિતા પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતા. આ સમયે ઘરમાં અભય અને દિશા હાજર હતા. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર અભયે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો, જ્યારે દિશા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી. અભયના કાકી પિન્કીબેને જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સામેનું બિહામણું દૃશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા 108ના ઇ.એમ.ટી. સ્ટાફે તપાસ બાદ દંપતીને મૃત જાહેર કર્યા હતા.

શનિવારે જ એનિવર્સરી હતી, કેક લાવ્યા પણ અભયે કહ્યું- ‘થાક લાગ્યો છે, કાલે કાપીશું’
આ ઘટના પાછળ સૌથી મોટો કરુણ વળાંક એ છે કે, શનિવારે જ આ નવદંપતીના લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી હતી. પોતાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે બંને બહાર ફરવા પણ ગયા હતા. અભયના કાકા પ્રવીણભાઈ બંનેની ઉજવણી માટે ખાસ કેક અને નવા કપડાં પણ લાવ્યા હતા, પરંતુ ફરવા જઈને પરત ફરેલા અભયે ભારે થાક લાગ્યો હોવાનું કહીને કેક બીજા દિવસે (રવિવારે) કાપવાનું જણાવ્યું હતું. કોને ખબર હતી કે, જે કેક રવિવારે કાપવાની હતી, તે દિવસ જ તેમની જિંદગીનો આખરી દિવસ બની જશે. દીકરીની પ્રથમ એનિવર્સરી હોવાથી દિશાની માતાએ પણ તેને હોંશે-હોંશે સોનાની બુટ્ટી ભેટમાં આપી હતી.

પત્ની પર ચાદર ઓઢાડેલી હતી, હત્યા કે આત્મહત્યા?
દંપતીના મોતને પગલે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. મૃતક અભયના કાકી પિન્કીબેનના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ રૂમમાં ગયા ત્યારે અભય લટકતો હતો અને દિશા નીચે જમીન પર ચાદર ઓઢાડેલી હાલતમાં સુતેલી હોય તેમ મૃત મળી આવી હતી. દિશાના શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ અને તેનું મોત ગૂંગળામણથી થયું છે કે ઝેરી દવા ગટગટાવવાથી? તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

મોબાઈલ ફોન કબજે કરાયા, PM રિપોર્ટની રાહ: પોલીસ
કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે તુરંત જ બંને મૃતકોના મોબાઈલ ફોન કબજે લઈ લીધા છે. ફોન કોલ્સ અને ચેટ્સના આધારે કોઈ કૌટુંબિક વિવાદ કે અન્ય કોઈ તણાવ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. મોતનું ચોક્કસ કારણ સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

દિશા માતા-પિતાની એકની એક દીકરી હતી
આ કરુણ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું છે. દિશા પ્રાઇવેટ નોકરી કરતી હતી અને તે તેના માતા-પિતાની એકમાત્ર લાડકી દીકરી હતી. જ્યારે મૃતક અભયના માતા-પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અભયને પરિવારમાં અન્ય એક ભાઈ અને એક બહેન છે. કમાતા-ધમાતા જુવાનજોધ દીકરા-વહુના એકસાથે મોતના સમાચારથી પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે.

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત,  ડ્રાઇવરના પ્રેમમાં પાગલ થઈ અને....રાતે દૂધમાં ઊંઘની ગોળીનો ઓવરડોઝ આ...
18/07/2026

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત, ડ્રાઇવરના પ્રેમમાં પાગલ થઈ અને....

રાતે દૂધમાં ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપ્યો, સ્કૂલ વાન ડ્રાઇવરના પ્રેમમાં હત્યાનું કાવતરું ઘડ્યું

સ્કૂલ સંચાલકના મોત મામલે પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પત્નીએ પોતાના પ્રેમી સ્કૂલ વાનના ડ્રાઈવર સાથે મળીને સ્કૂલ સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું. પહેલા પતિને દૂધમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ આપ્યો, પછી ઝેરી સાપ તેના બેડ પર છોડીને કરડાવ્યો. પોલીસે પત્ની, પ્રેમી અને બે મદારીઓ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

યુપીના મેરઠનો આ હચમચાવી દેતો બનાવ છે. શુક્રવારે સવારે 6 વાગ્યે સ્કૂલ સંચાલક પતિનો મૃતદેહ ભાડાના મકાનના રૂમમાં બેડ પર મળ્યો. પછી પત્ની અને પરિવારના લોકો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યા, ડોકટરોએ મૃત જાહેર કર્યો. ઘટના બાદ પરિવારજનોએ પત્ની પર સાપ કરડાવીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ કરી. કોલ ડિટેલ તપાસતા ડ્રાઈવરની વધુ વાતચીત પર શંકા ગઈ. આ પછી ડ્રાઈવરે આખી ઘટના કબૂલી લીધી.

પત્નીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે રાત્રે લગભગ 2 વાગ્યે તેના 6 વર્ષના પુત્રને લઈને બીજા રૂમમાં સૂવા ગઈ હતી. સવારે જ્યારે રૂમમાં પહોંચી, ત્યારે પતિ બેડ પર ચાદર ઓઢીને સૂતા હતા. ઘણી વાર અવાજ કરવા છતાં કોઈ હલચલ ન થઈ, તો પત્નીએ ચાદર હટાવી. ત્યાં એક સાપ જોઈને તે ચીસ પાડી ઉઠી.

તપાસમાં તેમના જમણા પગ પર સાપ કરડવાના નિશાન મળ્યા. મૃતકના પરિવારજનોએ પત્ની પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલો મેરઠના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

હસ્તિનાપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા, લવ મેરેજ કર્યા હતા
અતુલ કુમાર (32) બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડોરા ગામના રહેવાસી હતા. 4 કિલોમીટર દૂર હસ્તિનાપુરમાં પત્ની દામિની (30) અને 6 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા 4 વર્ષથી અતુલ અને દામિની ઘરથી 1 કિલોમીટર દૂર કૃષ્ણ કિડ્સ પ્લે સ્કૂલ ચલાવતા હતા. સ્કૂલ નર્સરીથી ધોરણ 5 સુધીની છે. તેમાં લગભગ 150 બાળકો ભણે છે.

અતુલ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતા અજબ સિંહ (72) ગામમાં ખેતી કરે છે. માતા સંતોષ દેવી (69) ગૃહિણી છે. મોટા ભાઈ કુલદીપ સેનામાંથી નિવૃત્ત છે. પત્ની, બાળકો સાથે બહસુમામાં રહે છે. બીજા નંબરના ભાઈ મનદીપે 4 વર્ષ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 7 વર્ષ પહેલા અતુલ અને દામિનીએ લવ મેરેજ કર્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું કે અતુલ પ્લે સ્કૂલ ચલાવતા પહેલા એક કમ્પ્યુટર કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. લગ્ન પછી પત્ની સાથે મળીને સ્કૂલ ચલાવી રહ્યા હતા. સવારે 7 વાગ્યે દામિનીએ ફોન કરીને જાણકારી આપી. અમને પહેલાથી જ વહુ પર શંકા હતી. અમે પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. પુરાવા ભેગા કર્યા.

દૂધમાં ઊંઘની ગોળીઓ આપી, પછી બેડ પર સાપ છોડી દીધો

તપાસ દરમિયાન પોલીસે દામિનીના મોબાઈલની કોલ ડિટેલ અને ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી. જેમાં સ્કૂલ વાનનો ડ્રાઈવર તુષાર ઉર્ફે નિક્કી સાથે તેની સતત વાતચીત થતી હોવાનું સામે આવ્યું. પોલીસે તુષારની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેના દામિની સાથે પ્રેમ સંબંધ હતા. બંનેએ અતુલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યોજના હેઠળ ગુરુવારે રાત્રે અતુલને દૂધમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ આપવામાં આવ્યો, જેનાથી તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો.

ત્યારબાદ સોનુ અને ઉદયની મદદથી ઝેરી સાપને રૂમમાં લાવીને તેના બેડ પર છોડી દેવામાં આવ્યો, જેનાથી સાપે અતુલને ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું.સીઓ મવાના પંકજ લવાનિયાએ જણાવ્યું- શાળા સંચાલકનો મૃતદેહ મળ્યાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘટનાસ્થળેથી પુરાવા અને નમૂના એકત્ર કર્યા. કોલ ડિટેલના આધારે ડ્રાઈવર તુષારને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે હત્યાની સંપૂર્ણ વાત કબૂલી લીધી. ડ્રાઈવર તુષાર, પત્ની દામિની, મદારી સોનુ અને ઉદયની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 20 દિવસ પહેલા પણ તુષારે અતુલને અર્ટિગા કારથી ટક્કર મારીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેલ્મેટ પહેરેલો હોવાથી તે બચી ગયો હતો.

ફોનમાં મળેલા પુરાવાઓથી રહસ્ય ખુલ્યું
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જ ઘટના શંકાસ્પદ લાગી કારણ કે સાપની વાત અને ઘટનાસ્થળની પરિસ્થિતિઓ સામાન્ય નહોતી. ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ફોનમાંથી મળેલા પુરાવા અને પૂછપરછના આધારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. આરોપીઓના મોબાઈલમાંથી સાપનો ફોટો પણ મળ્યો છે. જપ્ત કરાયેલા સાપને પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

મદારીને પૈસાની લાલચ આપીને સાપની વ્યવસ્થા કરી હતી.
પોલીસને જાણ કરતા પહેલા જ તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ સાપને લઈને ઘણી બધી બાબતો મેળ ખાતી ન હતી. સાપ ઘરમાં કેવી રીતે આવી શકે? આ ક્રમમાં ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યું. મૃતક અતુલ અને પત્ની દામિની મળીને એક કૃષ્ણ કિડ્સ પબ્લિક સ્કૂલ ચલાવતા હતા. બંનેએ 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા. તપાસમાં દામિનીનો સ્કૂલ વાનના ડ્રાઈવર તુષાર સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું. એ પણ સામે આવ્યું કે બંને વચ્ચે સતત વાતચીત થતી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે અતુલના નામે લગભગ 20 લાખ રૂપિયાનો વીમો હતો. આરોપીઓએ વીમાની રકમ મળ્યા પછી મદદ કરનાર મદારીને પાંચ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

તુષારનો મોબાઈલ અને અન્ય વસ્તુઓ જોવામાં આવી ત્યારે મોબાઈલમાં એક ડબ્બામાં બંધ સાપનો ફોટો પણ મળ્યો. તેના આધારે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જ જણાવ્યું કે તેણે બે મદારીઓ પાસેથી આ સાપ ખરીદ્યો હતો. તુષારે જણાવ્યું કે દામિનીએ મળીને પ્લાન ઘડ્યો હતો કે પતિને માર્યા પછી વીમાના પૈસા લઈ લેશે. પછી હું પત્નીથી છૂટાછેડા લઈ લઈશ અને લગ્ન કરી લઈશું.

ક્લાસ રૂમમાં શિક્ષક અને શિક્ષિકા કરવા લાગ્યા રોમાન્સ, મચી ગયો હોબાળોશિક્ષણને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ...
16/07/2026

ક્લાસ રૂમમાં શિક્ષક અને શિક્ષિકા કરવા લાગ્યા રોમાન્સ, મચી ગયો હોબાળો

શિક્ષણને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલના ક્લાસમાં શિક્ષક અને શિક્ષિકા એકબીજાને વળગીને રોમાન્સ કરવા લાગ્યા હતા. અંગત પળોનો આ વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે.

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દેતી ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જ બંને શિક્ષકો અયોગ્ય વર્તન કરતા હોવાનું વીડિયો સામે આવતાં શિક્ષણ વિભાગે તાત્કાલિક બંનેને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ કન્નૌજ જિલ્લાના એક સરકારી શાળાના વર્ગખંડમાં શિક્ષક અને શિક્ષિકા એકાંતમાં હતા. આ દરમિયાન કોઈએ તેમનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો જિલ્લા શિક્ષણ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. વીડિયોમાં બંને શિક્ષકો શાળાની ગૌરવ અને શિક્ષક તરીકેની જવાબદારીને શોભે નહીં તેવું વર્તન કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે.

વિડિયો વાયરલ થયા બાદ બેઝિક શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં વીડિયો સંબંધિત શાળાનો હોવાનું સામે આવતાં બંને શિક્ષકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સમગ્ર ઘટનાની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે જ્યાં બાળકો શિક્ષણ લેવા જાય છે, ત્યાં આવી ઘટના બનવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શિક્ષકો સમાજ માટે આદર્શ માનવામાં આવે છે ત્યારે તેમની આવી હરકતથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when GUJJU STAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GUJJU STAR:

Shortcuts

Share